Search This Website

Wednesday 22 September 2021

વડોદરા શહેરમાં બપોર બાદ અડધા કલાકમાં 2 ઇંચ | મોદીની સંપત્તિ જાણો | શેરી ગરબાને મંજૂરી,નવી ગાઈડલાઈન જાહેર | કર્મચારીઓના DAમાં 3 ટકાના વધારા પહેલા મળશે આ 5 ફાયદા, ચેક કરો ડિટેલ્સ | : કોરોના મૃતકના પરીવારજનોને મળશે 50 હજારની સહાયતા, કેન્દ્ર સરકારે SCમાં આપ્યો જવાબ



વડોદરા શહેરમાં બપોર બાદ અડધા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાંજે પણ અડધા કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ વરસાદ પડી રહ્યો છે. શહેરમાં કુલ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બપોર પછી ધોધમાર વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું હતું. તો બીજી તરફ ભીમનાથ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાંજે પણ મેઘરાજાની જમાવટ
વડોદરા શહેર અને જિલ્લામાં સાંજે પ્રચંડ ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે. વડોદરા શહેરમાં અડધો કલાકમાં એક ઇચ જેટલો વરસાદ પડ્યો છે. સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે નોકરી ધંધાથી ઘરે જઈ રહેલા લોકો રસ્તામાં જ અટવાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ભારે પવન સાથે વરસાદ વરસ્યો
વડોદરા શહેરમાં આજે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે વહેલી સવારથી વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે બપોર બાદ ભારે પવન ફૂંકાવાની શરૂ થયો હતો અને ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. વડોદરા શહેરના માંડવી મંદિર રાવપુરા કારેલીબાગ ફતેગંજ અને અલકાપુરી સહિતના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા તેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ધોધમાર વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા
ધોધમાર વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા

અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયા
વડોદરાના રેલવે સ્ટેશન પાસે આવેલા અલકાપુરી ગરનાળામાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે વડોદરામાં બપોર પછી થયેલા ભારે વરસાદના પગલે ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે અવર જવર કરવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભીમનાથ ઓવર બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
ભીમનાથ ઓવર બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

દર વર્ષે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા છે
દર વર્ષે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેમ છતાં ગરનાળામાં ભરાતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતાં નથી. જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે
રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે

6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ
રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.



પીએમ મોદીની સંપત્તિમાં એક વર્ષમાં 22 લાખનો વધારો, શેરબજારમાં રોકાણ નથી કરતા, જાણો તેમની આવક અંગે

નવી દિલ્હી,તા.25 સપ્ટેમ્બર 2021,શનિવાર

પીએમ મોદી પોતાની આવક અને સંપત્તિની જાણકારી નિયમિત રીતે દેશના લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.

લેટેસ્ટ જાણકારી પ્રમાણે પીએમ મોદીની કુલ સંપત્તિ 3.07 કરોડ રૂપિયા છે. જે ગયા વર્ષે 2.85 કરોડ રૂપિયા હતી. આમ તેમની સંપત્તિમાં એક વર્ષમાં બાવીસ લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમ મોદી શેરબજારમાં રોકાણ કરતા નથી અને તેમનુ રોકાણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં છે. જ્યાં તેમણે 8.9 લાખ રૂપિયા રોક્યા છે. તેમની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી 1.5 લાખની છે. તેમની પાસે 20000 રૂપિયાના એલ એન્ડ ટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ છે. આ બોન્ડ તેમણે 2012માં ખરીદયા હતા.

સંપત્તિમાં વધારા પાછળનુ મુખ્ય કારણ ગાંધીનગર ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં મુકેલી એફડી છે. આ રકમ 31 માર્ચ 2021ના રોજ 1.86 કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષે 1.6 કરોડ રૂપિયા હતી. પીએમ મોદી પાસે કોઈ વાહન નથી. સોનાની ચાર અંગૂઠીઓ છે અને તેની કિંમત 1.48 લાખ રૂપિયા થવા જાય છે.

તેમનુ બેન્ક બેલેન્સ દોઢ લાખ રૂપિયા છે અને હાથ પર 36000 રૂપિયાની રોકડ છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કોઈ સંપત્તિ ખરીદી નથી. 2002માં તેમણે ગાંધીનગરમાં ઘર માટે જે સંપત્તિ ખરીદી હતી તેનુ મુલ્ય 1.1 કરોડ રૂપિયા છે. આ સંયુક્ત પ્રોપર્ટી છે અને તેમાં પીએમ મોદીનો હિસ્સો 25 ટકા છે. આમ 14000 ચોરસફૂટમાંથી તેમનો અધિકાર 3500 સ્કેવરફૂટ પર છે.



*ગુજરાત શેરી ગરબાને મંજૂરી,નવી ગાઈડલાઈન જાહેર* 

*● રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે*

*● રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે* 

*● માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે*

*● લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે*

*● આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે* 

*● આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે* 

*● રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ,ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ*

*● અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે*

*● રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે*

*● રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે*




સરકારી કર્મચારીઓના DAમાં 3 ટકાના વધારા પહેલા મળશે આ 5 ફાયદા, ચેક કરો ડિટેલ્સ


  
કેન્દ્ર સરકારના કર્મચારીઓને થોડાક સમયમાં એક બાદ એક અનેક ફાયદા મળી રહ્યા છે.
મોંધવારી ભથ્થામાં એક વાર ફરી 3 ટકા નો વધારો થવાનો છે

હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરવામાં આવી
કેન્દ્રીય કર્મચારીઓને જાણો જાણો કયા ફાયદા થશે
મોંધવારી ભથ્થામાં એક વાર ફરી 3 ટકનો વધારો થવાનો છે

 આ તહેવારોમાં પહેલા સરકારી કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં એક વાર ફરી 3 ટકનો વધારો થવાનો છે.  સાદી ભાષામાં સમજીઓ તો 1 જૂલાઈ 2021થ ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. થોડાક મહિના બાદ તેમાં ફરી વધારો કરવામાં આવેશે. જુલાઈ 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ડીએ 11 ટકા વધારીને 28 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.


હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરવામાં આવી

કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ તહેવારની સીઝનમાં ડીએ અને ડીઆરના દરમાં ફરી 3 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએ અને ડીઆર બેસિક સેલરી 28 ટકાથી વધીને 31 ટકા થઈ જશે. ડીએ અને ડીઆરમાં વૃદ્ધિ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓએ કેટલાક અન્ય લાભ પણ મળી શકે છે. જેની જાહેરાત હાલમાં જ કરવામાં આવી હતી. આવો જાણીએ કે કેન્દ્રીય કર્મચારીઓને તહેવારની સીઝનમાં કયા 5 ફાયદા મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓની પારિવારિકતા પેન્શનની સીમા 45000 રુપિયાથી વધારે 1.25 લાખ રુપિયા કરી દેવામાં આવી છે. મૃત કર્મચારીઓના પરિવારજનોની મદદ અને તેમને પર્યાપ્ત નાણા સહાયતા પ્રદાન કરવા માટે કેન્દ્રે આ પગલુ ઉઠાવ્યું હતુ.


કેન્દ્રીય કર્મચારીઓને કયા કયા ફાયદા મળશે


મોદી સરકારે પોતાના ઘરમાં બનેલા ઈચ્છુક સરકારી કર્મચારીઓને સસ્તા વ્યાજ દર પર લોન આપવાને લઈને જૂન 2020માં હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA)ની શરુઆત કરી હતી. આ ઉપરાંત રિટાયર થઈ ચૂકેલા કેન્દ્ર સરકારના પેન્શનધારમોના રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈ મેલ પર સીધી એસએમએસ, ઈમેલ તથા વ્હોટ્સએપના માધ્યમથી પેન્શન પર્ચી પણ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ડીએ અને ડીઆર ઉપરાંત વધેલા હાઉસ રેન્ટ અલાઉન્સ પણ મળશે. ઉલ્લેખનીય છે કે ડીએ 25 ટકાથી વધારે થવા પર એચઆરએ વધી જશે. વધેલા એચઆરએના લાભ કેન્દ્રીય કર્મચારીઓને મળવાનું શરુ થઈ ગયો છે.


BIG BREAKING: કોરોના મૃતકના પરીવારજનોને મળશે 50 હજારની સહાયતા, કેન્દ્ર સરકારે SCમાં આપ્યો જવાબ







દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક હતી. આ લહેરમાં સંખ્યા બંધ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક જવાબમાં મોટું નિવેદન આપ્યું છે કે જેટલા પણ લોકોની મોત કોરોના વાયરસથી થઈ છે તે તમામના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવામાં આવશે. સહાયતાની આ રકમ રાજ્ય પોતાના ડિઝાસ્ટર રીલીફ ફંડથી પીડિતોના પરિજનોને આપશે. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે NDRF સંસ્થાે આજે સુપ્રીમ કોર્ટમાંસોગંદનામું દાખલ કરીને કોરોના સંબધિત મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.





કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.







આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી હતી કે કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. નિયમ મુજબ, કુદરતી આફતને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવે છે. પરંતુ, જે પ્રમાણમાં કોરોનાને કારણે લોકોના મૃત્યુ થયા છે ત્યાર બાદ કેન્દ્ર સરકારે વળતર આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટનું દબાણ

કેન્દ્રએ કહ્યું હતું કે આટલા પૈસાનું વળતર આપવાથી સરકારને મોટું નુકશાન થશે. પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે એનડીઆરએફને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે.


આ પણ વાંચો *💥Good news*





સુપ્રીમ કોર્ટનું દબાણ

કેન્દ્રએ કહ્યું હતું કે આટલા પૈસાનું વળતર આપવાથી સરકારને મોટું નુકશાન થશે. પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે એનડીઆરએફને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે.






No comments:

Post a Comment