Search This Website

Sunday 24 October 2021

ચાહકોની નજર આજે ભારત – પાકિસ્તાન વચ્ચે રમાનારી સૌથી મોટી મેચ પર | ટી-20 વર્લ્ડકપઃ ભારત-પાક મુકાબલા પહેલા જ સોશિયલ મીડિયા પર બંને દેશની ફૂડ ડિલિવરી કંપનીઓ ભીડાઈ ગઈ

 

ચાહકોની નજર આજે ભારત – પાકિસ્તાન વચ્ચે રમાનારી સૌથી મોટી મેચ પર

ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે, વિશ્વભરના ચાહકોની નજર આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સૌથી મોટી મેચ પર રહેલી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂમિકા ખૂબ મહત્વની બનવાની છે. તેની પાછળનું મહત્વનું કારણ પાકિસ્તાન સામે કોહલીનો મજબૂત રેકોર્ડ છે. ખરેખર, પાકિસ્તાન સામે દર વખતે કોહલીનું વિરાટ સ્વરૂપ જોવા મળે છે.

વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કુલ ત્રણ મેચ રમી ચૂક્યો છે અને દરેક વખતે તે આઉટ થયા વિના જ મેદાન પરથી પાછો ફર્યો છે. એટલે કે ત્રણેય મેચમાં એક વખત પણ પાકિસ્તાની બોલર વિરાટની વિકેટ નથી લઈ શક્યો. આ દરમિયાન, ભારતીય કેપ્ટને 130 ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે ત્રણ ઇનિંગ્સમાં કુલ 169 રન બનાવ્યા હતા અને તેના બેટથી બે અર્ધસદીઓ પણ ફટકારવામાં આવી હતી.

માત્ર ટી-20 વર્લ્ડ કપ નહીં, પરંતુ ઓવરઓલ વિરાટનો રેકોર્ડ પાકિસ્તાન સામે બેમિસાલ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો આ આક્રમક ખેલાડીએ પાકિસ્તાન સામે 6 ટી-20 મેચ રમી છે અને 84.66ની સરેરાશ સાથે 254 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 6 ઈનિંગ્સમાં ત્રણ વખત 50+નો સ્કોર પણ બનાવ્યો છે. ખાસ વાત તે છે કે શ્રીલંકા (84.75)ના બાદ પાક એકમાત્ર એવી ટિમ છે જેની સામે કોહલી 80+ની સરેરાશ સાથે રન બનાવ્યા છે.

આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાન સામે વિરાટ કોહલી કેટલા આક્રમક આંદાજમાં બેટિંગ કરે છે. એવામાં 24 ઓકટોબરે બાબર આજમ એન્ડ કંપની વિરાટથી સાવધાન રહેવાની પૂરી જરૂર રહેશે.

ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાથી પહેલા વિરાટ કોહલીએ તે સ્પષ્ટ કરી દીધું હતું કે આ ટુર્નામેંન્ટ બાદ તેઓ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે. એવામાં કેપ્ટન તરીકે કોહલી જરૂરથી આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને આ ટુર્નામેન્ટને પોતાના માટે યાદગાર બનાવવા માંગશે.

આજની મેચ લાઈવ જોવા અહીં ક્લિક કરો

ટી-20 વર્લ્ડકપઃ ભારત-પાક મુકાબલા પહેલા જ સોશિયલ મીડિયા પર બંને દેશની ફૂડ ડિલિવરી કંપનીઓ ભીડાઈ ગઈ


નવી દિલ્હી,તા.24.ઓકટોબર,2021

ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચની કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે.

મેચ શરુ થવાના ગણતરીના કલાકો પહેલાથી જ સોશિયલ મીડિયા પર પણ ભારત અને પાકિસ્તાનની ચર્ચા છે.આ દરમિયાન ભારત  અને પાકિસ્તાનની બે કંપનીઓ પણ મેચને લઈને ટ્વિટર પર આમને સામને આવી ગઈ છે.

બન્યુ એમ છે કે, ભારતીય કંપની ઝોમેટોએ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને ટેગ કરીને લખ્યુ હતુ કે, તમને જો બર્ગર અને પિઝાની જરુર હોય તો અમે માત્ર એક જ મેસેજ દુર છે.ઝોમેટોનો ઈશારો અગાઉની મેચમાં હાર બાદ પાકિસ્તાની ફેનની ટીકા તરફ હતો કે, પાકિસ્તાની ખેલાડીઓ રાતભર પિઝા અને બર્ગર ખાતા રહ્યા હતા.

જેનો જવાબ પાકિસ્તાની કંપની કરીમે આપ્યો હતો.કરીમે લખ્યુ હતુ કે, ચિંતા ના કરો અમે પાક ખેલાડીઓને ફ્રી બર્ગર અને પિઝા ડિલિવર કરી રહ્યા છે અને તમારા માટે ફેન્ટાસ્ટિક ટી પણ મોકલી રહ્યા છે.પાક કંપનીના ઈશારો ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન તરફ હતો.જેમને બે દેશો વચ્ચે થયેલી અથડામણ બાદ પાકિસ્તાને અટકાયતમાં લીધા હતા.

જોકે પાકિસ્તાની કંપનીએ કરેલી સાવ નીચલી કક્ષાની કોમન્ટ બાદ ભારતીય યુઝર્સ ભડકયા હતા અને તેમણે ટ્વીટર પર કરીમ કંપનીને ટ્રોલ કરવા માંડી હતી.એ પછી બંને દેશના ચાહકો વચ્ચે ટ્વિટર પર રીતસરનુ યુધ્ધ જ છેડાઈ ગયુ હતુ.


આજની મેચ જુઓ અહીં થી લાઈવ

No comments:

Post a Comment