Search This Website

Thursday 9 June 2022

DOSTERLIMEB MEDICINE | વર્ષો બાદ મળ્યો કેન્સરનો ઈલાજ, 6 મહિનામાં થઈ શકો છો ઠીક, મેડિકલ સાયન્સનો ચમત્કાર




DOSTERLIMEB MEDICINE | વર્ષો બાદ મળ્યો કેન્સરનો ઈલાજ, 6 મહિનામાં થઈ શકો છો ઠીક, મેડિકલ સાયન્સનો ચમત્કાર




ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દવા 100% કેન્સર માટે અસરકારક


મેડિકલ જગતની એક મોટી સફળતાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધી છે. તાજેતરમાં રેક્ટલ કેન્સરના કેટલાક દર્દીઓ પર કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલમાં ડોસ્ટરલિમેબ નામના ડ્રગે કમાલ કર્યો છે.


માત્ર 6 મહિનામાં જ તેની મદદથી દર્દીઓને કેન્સરથી સંપૂર્ણપણે છૂટકારો મળી ગયો છે. આ રિસર્ચ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.


ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દવા 100% અસરકારક
સ્ટડીના લેખક ડૉ. લુઈસ એ ડિયાઝનું કહેવું છે કે, કેન્સરના ઈતિહાસમાં પહેલી વખત કોઈ દવાથી બધા દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી કોઈ ડ્રગ અથવા સારવાર એવી નહોતી જે કેન્સરથી હંમેશાં માટે છૂટકારો અપાવી શકે. ભલે આ સ્ટડી નાની છે, પરંતુ આપણા માટે જીવલેણ કેન્સરની વિરુદ્ધ મોટી સફળતા છે. તેમજ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડૉ. એલન પી વિનુકના જણાવ્યા પ્રમાણે, કોઈ કેન્સર રિસર્ચમાં દરેક દર્દી સાજો થઈ જાય એ પોતાનામાં જ એક મોટી કામીયાબી છે.





ટ્રાયલમાં 18 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. 12 મહિના પછી પરિણામો સામે આવ્યા કે દર્દીઓના શરીરમાં રહેલું ટ્યુમર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હતું


તમામ દર્દીઓના શરીરમાંથી ટ્યુમર ગાયબ થયું
આ ટ્રાયલમાં અમેરિકામાં રહેતા રેક્ટલ કેન્સરના 18 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. તે બધા કેન્સરના એક જ સ્ટેજમાં હતા. એટલે કે કેન્સર તેમના ગુદામાર્ગમાં હતું અને બીજા અંગોમાં નહોતું ફેલાયું. વૈજ્ઞાનિકોએ તેને 6 મહિના સુધી સતત ડોસ્ટરલિમેબનો ડોઝ આપ્યો. 12 મહિના પછી પરિણામો સામે આવ્યા કે દર્દીઓના શરીરમાં રહેલું ટ્યુમર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હતું. તેના પછી આ દર્દીઓની શારીરિક તપાસ, એન્ડોસ્કોપી, PET સ્કેન અથવા MRI સ્કેન કરવામાં આવ્યું, પરંતુ કોઈપણ તપાસમાં ટ્યુમર મળ્યું નહોતું.


ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, તમામ દર્દી ક્લિનિકલ ટ્રાયલ પહેલા કિમોથેરપી, રેડિએશન અને ઈનવેસિવ સર્જરી જેવી સારવાર કરાવી ચૂક્યા હતા. સાઈડઈફેક્ટ તરીકે તેમને યુરિન, બોવેલ, અને સેક્સ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોઈપણ દર્દીમાં ડોસ્ટરલિમેબ ડ્રગની કોઈ સાઈડઈફેક્ટ જોવા નહોતી મળી.


તમામ દર્દી ક્લિનિકલ ટ્રાયલ પહેલા કિમોથેરપી, રેડિએશન અને ઈનવેસિવ સર્જરી જેવી સારવાર કરાવી ચૂક્યા હતા.


ડોસ્ટરલિમેબ ડ્રગ શું છે?
ડોસ્ટરલિમેબ લેબમાં બનાવવામાં આવેલું એક એવું ડ્રગ છે, જે મનુષ્યના શરીરમાં એન્ટિબોડીઝના સબ્સિટટ્યુટની જેમ કામ કરે છે. કેન્સરથી પીડિત લોકોની ઈમ્યુન સિસ્ટમ ઘણી કમજોર થઈ જાય છે, જેના કારણે તેમાં એન્ટિબોડીઝનું લેવલ પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં બીમારીથી લડવા માટે બહારની દવાની જરૂર પડે છે.


ડોસ્ટરલિમેબ ડ્રગને એન્ડોમિટ્રિયલ કેન્સરની સારવાર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને અમેરિકા અને યુરોપમાં 2021માં મંજૂરી મળી હતી. તેનું મેન્યુફેક્ચર કરનારી કંપની ટેસારોએ વર્ષ 2020માં તેને બનાવવાનું શરૂ કર્યું હતું.



વર્ષો બાદ મળ્યો કેન્સરનો ઈલાજ, 6 મહિનામાં થઈ શકો છો ઠીક, મેડિકલ સાયન્સનો ચમત્કાર



એક ટ્રાયલ બાદ એવો દાવો કરવામાં આવ્યો છે કે જે 18 દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, તેમના રેક્ટલ કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા હતા. તેને 6 મહિના સુધી દર ત્રીજા અઠવાડિયે દવા આપવામાં આવતી હતી.

મેડિકલ ક્ષેત્રે વિકાસ થયો હોવા છતાં કેન્સર જેવા રોગને હજુ પણ અસાધ્ય રોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જો કે, હવે ક્લિનિકલ ટ્રાયલ પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે જે દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમને 100 ટકા અર્થપૂર્ણ પરિણામો મળ્યા છે અને તેઓ સંપૂર્ણપણે કેન્સરથી મુક્ત છે. જો ભવિષ્યમાં પણ આ દવા અસરકારક રહેશે તો તેને કેન્સર માટે સંજીવની કહેવામાં આવશે.

દર્દીઓ સાથે ચમત્કાર થયો
ક્લિનિકલ ટ્રાયલ તરીકે, આ પ્રયોગ રેક્ટલ કેન્સરના 18 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. આ દર્દીઓને 6 મહિના માટે ડોસ્ટરલિમબ નામની દવા આપવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે હવે આ તમામ દર્દીઓ કેન્સરથી સંપૂર્ણપણે મુક્ત છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ડોસ્ટરલિમબ નામની દવા લેબમાં ઉગાડવામાં આવેલા અણુઓમાંથી બનાવવામાં આવી છે જે માનવ શરીરમાં અવેજી એન્ટિબોડીઝ તરીકે કામ કરે છે.






ગાંઠો અદૃશ્ય થઈ ગઈ
જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, તેમની ગાંઠો ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. આ તમામ દર્દીઓમાં કેન્સરની કોઈ નિશાની ન હતી. શારીરિક પરીક્ષા, એન્ડોસ્કોપી, પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી અને પીઈટી સ્કેન સાથે EMI પણ કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટરિંગ સેન્ટરના ડૉ. લુઈસ એ. ડાયઝના જણાવ્યા અનુસાર, ઈતિહાસમાં પહેલીવાર એવું શક્ય બન્યું છે કે તમામ દર્દીઓ એક પ્રકારની સારવારથી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.

મેડિકલ ક્ષેત્રના લોકો આશ્ચર્યમાં છે
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કેન્સરની સારવાર દરમિયાન કોઈપણ દર્દીને કીમોથેરાપી, સર્જરી અને રેડિયેશન જેવી પીડાદાયક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેના કારણે બીજી ઘણી બીમારીઓ પણ થાય છે. પરંતુ આ ક્લિનિકલ ટ્રાયલમાંથી મળેલા પરિણામોથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે દર્દીઓને લાગ્યું કે આ તેમની સારવારનો માત્ર એક તબક્કો છે. હવે તે આ બીમારીથી સંપૂર્ણ મુક્ત છે. એટલે કે હવે તેમને વધુ સારવારની જરૂર નથી.




મીડિયા સાથે વાત કરતા ડૉ. એલન પી ​​વેનુકે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે તમામ દર્દીઓ કેન્સરથી સાજા થઈ ગયા. વિશ્વમાં આ પ્રકારનું આ પ્રથમ સંશોધન છે. અજમાયશ તરીકે, ડોસ્ટરલાઈમાઈડ દર ત્રીજા અઠવાડિયે 6 મહિના માટે આપવામાં આવતું હતું. ખાસ વાત એ છે કે આ દવાની કોઈ આડઅસર જોવા મળી નથી.

ઉપર આપવામાં આવેલ માહિતી એક રિસર્ચમાં મળેલ સફળતાના મિડિયા અહેવાલ પરથી આલેખેલ છે. જાતે પ્રયોગ કરવા નહી. ડોકટરની સલાહ લેવી ફરજિયાત છે..

No comments:

Post a Comment